Follow US

Responsive Ad

મહાદેવભાઇ દેસાઇ 1 જાન્યુઆરી

શ્રી એલ. વી. જોષી

    મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઇઅનો જન્મ 1/1/1892 ના રોજ સુરત જીલ્લાના સરસ ગામમાં થયો હતો.અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી.માં પણ સારો દેખાવ કર્યો.શ્રી
દેસાઇએ અમદાવાદમાં  વકીલાત શરૂ  કરી અને બીજે  જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઇ,વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઇ ગયા.ત્યારબાદ તેમનુ જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઇનું ભાષાપ્રભુત્વ અને સુંદર  હસ્તાક્ષરો  જોઇ ગાંધીજીએ કહી દીધુ કે
મહાદેવ! તમારે હવે બધા કામ મૂકી દઇને મારી જોડે જ રહેવાનું છે. અને તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ
બાપુમય  બની ગયા. તેમણે  કવિવર ટાગોરના  25 જેટલા સુંદર અનુવાદો  આપ્યા છે તો સામે ગાંધીજીની 
આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે.મહાદેવની ડાયરી ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે.એ ડાયરીઓ પચીસેક ભાગમાં પ્રગટ થઇ છે. એમાં  તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના
ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. 50 વર્ષની વયે મહાદેવભાઇ દેસાઇ  ઇ.સ.1942માં અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પણ પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા.બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો.બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઇ જવાનું પસંદ કર્યુ હતું.


સવિશેષ પરિચય વિકિપીડિયા પર

મહાદેવભાઇ દેસાઇએ રવિન્દ્રનાથ ટાગોરના ગીતનું કરેલ અનુવાદ એકલો જાને રે! વાંચવા અને સાંભળવા પહોંચો ટહુકો ડોટ કોમ પર. 

આ ઉપરાંત અહિં ક્લિક કરી વાંચી શકાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ