Follow US

Responsive Ad

વિલિયમ રોધેન્સ્ટાઇન 29 જાન્યુઆરી

શ્રી એલ.વી.જોષી
   ભારતીય કલા અને સંસ્કૃતિના સક્રીય પુરસ્કર્તા સર વિલિયમ રોધેન્સ્ટાઇનનો જન્મ 29/1/1872માં ઇંગ્લેન્ડમાં થયો  હતો..નાનપણથી જ તેમને  ચિત્ર દોરવાનો અને કંઇને  કંઇ સાહિત્ય વાંચવાનો અદમ્ય  શોખ હતો. ’ન્યુ ઇંગ્લીશ આર્ટ કલબ’ નામના કલાકાર મંડળમાં પણ  જોડાયેલા. હર્બર્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્ચેલર તેમજ ‘રૉયલ કૉલેજ ઓવ આર્ટસ’ના સંચાલક તરીકે તેમણે યશસ્વી કામગીરી કરી હતી.તેમણે આત્મકથનાત્મક ત્રણ સચિત્ર  ગ્રંથો બહાર પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના ‘હાઉસ ઓફ કોમન્સ’ માં ‘જહાંગીરના દરબારમાં સર ટોમસ  રોની મુલાકાત’ એ સૌથી મોટું ને ભવ્ય ભીંતચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે.બેઠા રંગોમાં ચિત્ર કરવાની  જે શૈલી તેમણે આત્મસાત  કરેલી  તેને  ઉઠાવ આપવાનું  કામ તેમણે કરેલું. અજંતાના  ચિત્રોની વધુ આધારભૂત નકલ ઉતારવા લેડી હેરિંગહામ  સાથે હિંદની કલાયાત્રાએ પણ તેઓ આવી ગયેલા. તેમના શુભ પ્રયાસથી જ રવીન્દ્રનાથ ટાગોરનો  ‘ગીતાંજલી’કાવ્યસંગ્રહ પહેલી વાર ઇન્ડિયા સોસાયટી માટે પ્રસિદ્ધ કરવામાંઆવ્યો હતો અને જગપ્રસિદ્ધ ‘નોબેલ પારિતોષિક’ પ્રાપ્ત થયું હતું.ભારતવાસ દરમિયાન તેમને થયેલા મહત્વના  સંપર્કો પૈકીનો મુખ્ય હતો ટાગોર પરિવાર સાથેનો. ઇ.સ.1945 માં  તેમણે  ચિરવિદાય લીધી. હિંદી કલાને વિશ્વવિખ્યાત  બનાવવા આ મહાન કલાકારે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. લંડનના ‘ઇન્ડિયા હાઉસ’ ના ચિત્રો હિંદી કલાકારો પાસે જ કરાવાવાનો  યશ તેમને ફાળે જાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ