Follow US

Responsive Ad

બેન્જામિન ફ્રેન્કલિન 17 જાન્યુઆરી

શ્રી એલ.વી.જોષી 

સૌજન્‍ય-earlyamerica.com
         અમેરિકાના પ્રતિભાવંત રાજપુરુષ અને વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રે ન્કલીનનો જન્મ 17/1/1706 ના રોજ બોસ્ટનમાં થયો હતો.પોતે જ વિદ્યાર્થી અને પોતે જ ગુરૂ.જઠરને નહીં મગજને તૃત્પ કરતા એ લેખો પણ લખવા લાગ્યા.ત્યારપછી તો એમેની બહુમુખી પ્રતિભા  માનવજીવનને અને  અમિરિકન  સ્વાતંત્ર્યને સ્પર્શતી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી પૂર બહારમાં ખીલી ઊઠી. બેન્જામિન પોસ્ટમાસ્ટર જનરલ તરીકે નિયુક્તિ થતા તેમણે ટપાલના  આવાગમનમાં સુધારા કર્યા.ઉપરાંત અમેરિકામાં હરતીફરતી લાઇબ્રેરીની  સ્થાપના કરી.તેમનો કીર્તિધ્વજ  વ્યાપારક્ષેત્રે, છાપકામક્ષેત્રે અને સમાજસેવા ક્ષેત્રે અમેરિકામાં ફરકી રહ્યો હતો ત્યારે એમની ટોચની શોધતો,એક વરસાદી તોફાનમાં પતંગ ચઢાવીને  તેના દોર સાથે બાંધેલી  ચાવી દ્વારા વીજળીને નાથી,એ  હતી.ફ્રેન્કલીનને અનેક જાતના વૈજ્ઞાનિક સન્માનો  મળ્યા.ઉપરાંત’વૈદ્યુત દ્રવનો સંચાર’, ‘વીજળીની છડ’, ‘લીડન જાર’સંબંધી  સૂક્ષ્મ અવલોકનો કરી  પરીક્ષણ કર્યું, ત્યારે  વિજ્ઞાન જગત સાચે જ અચરજ પામી ગયું.તેમની સેવાની

કદરરૂપે તેમને ‘પ્રથમ અમેરિકન ‘નું પદ એનાયત કરવામાં આવ્યું હતું.ફ્રેન્કલિનના મૃત્યુ પછી એમની આત્મકથા પ્રગત  થઇ ત્યારે આખુંય અમેરિકા  એની પાછળ પાગલ બન્યુ હતું.ઇ.સ.1790 મા તેમનો દેહવિલય થયો.81માં  વર્ષે ફ્રેન્કલિને સ્વતંત્ર અમેરિકાનું બંધારણ ઘડવાનુ કામ કર્યું, જે બંધારણની રચના આજે પણ વિશ્વભર-વખણાય છે. અજોડ આત્મબળથી અંગબળ મેળવનાર રામમૂર્તિ જન્મ વખતે બહુ જ કમજોર હતા.શરીર નિર્બળ પણ કલ્પના  ઘણી સમર્થ.ભારતના વીરપુરુષોનાં ચરિત્રોથી એનું અંતર ધબકતું હતું.એણે કસરત કરવી શરૂ કરી. મા બાળકનું આ પરિવર્તન જોઇ રહી.સોળ વર્ષની વયે એ એટલા જોરાવર બન્યા કે  નાળિયેરના  ઝાડને  જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ નાળિયેર  પડવા લાગે. તેઓ પોતાના શરીર પર પાટિયું રાખી,તેના પર હાથીને  ઊભો રાખતા હતા.છાતી પર સાંકળ  વીંટીને ચાર મજબૂત માણસોને  સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા  રાખે,પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના  ટુકડા થઇ જાય. રામમૂર્તિના આવા  પ્રયોગોએ  લોકોને  હેરત  પમાડી દીધા. તેમના સરકસને જોવા  માટે જેટલી જનમેદની  એકઠી  થતી એટલી બીજે કયાંય  થતી ન હતી. એક વખત વાઘને પણ પોતાની  બાથમાં પકડી  લઇ  જમીન પર દબોચી દીધો હતો. ધ્રાંગધ્રામાં અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સ  પાવરની 112 કિલોમીટરની ઝડપે જતી  મોટરને એક,બે વાર નહીં,પરંતુ સતત તેર વખત રોકી. સૌ કોઇએ આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી. ‘દેહમાં તાકાત તો દેશમાં તાકાત’ એમના સંદેશે દેશના તરુણોમાં નવચેતનનો સંચાર કર્યો. 20/1/1938 ના  રોજ રામમૂર્તિનું અવસાન થયું  તેઓ કહેતા : ‘ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં, એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે.’

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ