Follow US

Responsive Ad

કુંદનલાલ સાયગલ 18 જાન્યુઆરી


શ્રી એલ.વી.જોષી 
      સંગીતસમ્રાટ કુંદનલાલ સાયગલનો જન્મ ઇ.સ.1904 માં થયો હતો.બાળપણથી જ તેના કંઠમાં અલૌકિક મધુરતા  હતી. વિદ્યાર્થી અવસ્થામાં  નાનકડા સમારંભોમાં ગીતો ગાયા કરે. દરમિયાન સંગીતકાર પંકજ મલ્લિકે ’પૂરન ભક્ત’ માં સાયગલને પ્રથમ ભૂમિકા આપી અને તેમનો સ્વર્ગીય કંઠ ભારતીય ફિલ્મ જગતના રૂપેરી

પરદે  ગંજી ઊઠયો. ત્યારપછી તો   ન્યૂ થિયેટર્સના બેનરમાં તેણે ઘણી ફિલ્મોમાં ગાયન સાથે અભિનયના પણ ઓજસ પાથર્યા. ‘યહુદી કી લડકી’, ‘પૂજારીન’, ‘દેવદાસ’,  ‘મેરી બહેન’  વગેરેમાં અભિનય આપ્યો. મિર્ઝા ગાલીબની ગઝલોને પોતાનો સૂરનો સથવારો આપ્યો છે. ‘એક બંગલા બને ન્યારા’ અને ‘બાલમ આન બસો મેરે  મનમેં’ ગીતોની તાજગી આજે પણ ઝાંખી નથી થઇ,આ ગીતોને કયારેય પાનખર લાગવાની નથી.ઉપરાંત ભકત સૂરદાસ’, ‘તાનસેન’, ‘ભંવરા’, ‘ઉમ્મર ખય્યામ’ અને ‘શાહજહાંન’ જેવી ફિલ્મોમાં ગીત ગાયા.એ સૂરો કાનમાં  પડતાની સાથે જ સાંભળનારને આનંદની સમાધિમાં લીન કરી દેતા હતા. તેઓ  જેવા  મહાન કલાકાર હતા તેવા જ ઉદાત ગુણોથી ભર્યા ભર્યા મહામાનવ પણ હતા.સાયગલ માત્ર 42 વર્ષની ઉંમરે 18/1/1946 ના રોજ પોતાના વતન જલંધરમાં સૂરના સહારે  ઇશ્વરના સાન્નિધ્યમાં પહોંચી ગયા. તેમની ઇચ્છા  પ્રમાણે  તેમની અંતિમ યાત્રામા તેમનું જ ગીત  ‘હમ જી કે ક્યા કરેંગે જબ દિલ હી તૂટ ગયા’ હવામાં લહેરાતું હતું અને માહોલને  ગમગીન બનાવતું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ