Follow US

Responsive Ad

વીર રામમૂર્તિ 20 જાન્યુઆરી

શ્રી એલ.વી.જોષી 

        અજોડ આત્મબળથી અંગબળ મેળવનાર રામમૂર્તિ જન્મ વખતે બહુ જ કમજોર હતા.શરીર નિર્બળ પણ કલ્પના  ઘણી સમર્થ.ભારતના વીરપુરુષોનાં ચરિત્રોથી એનું અંતર ધબકતું હતું.એણે કસરત કરવી શરૂ કરી. મા બાળકનું આ પરિવર્તન જોઇ રહી.સોળ વર્ષની વયે એ એટલા જોરાવર બન્યા કે  નાળિયેરના  ઝાડને  જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ નાળિયેર  પડવા લાગે. તેઓ પોતાના શરીર પર પાટિયું રાખી,તેના પર હાથીને  ઊભો રાખતા હતા.છાતી પર સાંકળ વીંટીને ચાર મજબૂત માણસોને  સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા  રાખે,પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના  ટુકડા થઇ જાય. રામમૂર્તિના આવા  પ્રયોગોએ  લોકોને હેરત  પમાડી દીધા. તેમના સરકસને જોવા  માટે જેટલી જનમેદની  એકઠી  થતી એટલી બીજે કયાંય  થતી ન હતી. એક વખત વાઘને પણ પોતાની  બાથમાં પકડી  લઇ  જમીન પર દબોચી દીધો હતો. ધ્રાંગધ્રામાં અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સ  પાવરની 112 કિલોમીટરની ઝડપે જતી  મોટરને એક,બે વાર નહીં,પરંતુ સતત તેર વખત રોકી. સૌ કોઇએ આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી. ‘દેહમાં તાકાત તો દેશમાં તાકાત’ એમના સંદેશે દેશના તરુણોમાં નવચેતનનો સંચાર કર્યો. 20/1/1938 ના  રોજ રામમૂર્તિનું અવસાન થયું  તેઓ કહેતા : ‘ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં, એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે.’

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ