શ્રી યશવંત મહેતા 

પથ્થરની કુહાડીનો જન્મ તો ત્રણેક લાખ વર્ષ અગાઉ થયો હતો એમ વિજ્ઞાનીઓ માને માને છે.જેનો છેડો અણિયાળી પહોળી ધાર વાળો હોય એવા પથ્થર વડે કશુંક કાપવાનું આદિવાસીઓએ કયારનુંયે શરૂ કરેલું. પરંતુ જેને લાકડાંનો હાથ બાંધેલો હોય તેને એવી કુહાડી . સ. પૂર્વે 8000 ની મળી છે.એ પછી તરત જ માનવી ખેતી કરતો થયો હોવાનું ઇતિહાસ નોંધે છે.એટલે આ  કુહાડીની  શોધે એને  નકામાં ઝાડ છોડ કાપીને ખેતીની જમીન કોરી કરવામાં મદદ કરી હશે એમ કહી શકાય. શિકારમાં તો એ ઉપયોગી હતી જ.