Follow US

Responsive Ad

મોરારજી દેસાઇ 29 ફેબ્રુઆરી

શ્રી એલ.વી.જોષી
indianetzone.com
જેમની જ્ન્મજયંતી દર ચાર વર્ષે આવે છે એવા એક સમયના ભારતના વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇનો જન્મ 29/2/1896 માં સુરત પાસેના ભદેલી ગામમાં થયો હતો.સાદુ જીવન અને ઉચ્ચ વિચાર એક માત્ર ધ્યેય હતું.ગાંધીજીના અગિયાર વ્રતો તેમણે પોતાના જીવનમાં પાળી બતાવ્યાં હતાં.ઇશ્વર પ્રત્યેની ઊંડી શ્રદ્ધા ધરાવતા મોરારજીભાઇ ગાંધી મૂલ્યોની જાળવણી માટે જીવનભર ઝઝૂમતા રહ્યા હતા.યુવાન વયે સંયમી બ્રહ્મચારી જીવનનો નિર્ણય લીધો અને આજીવન પાળી પણ બતાવ્યો.તેમણે સમગ્ર ગીતા કંઠસ્થ કરી હતી. મહેસૂલ પ્રધાનથી શરૂ કરીને અંતે વડાપ્રધાન પદે પહોંચી એક સિંદ્ધાંતવાદી અને પ્રગતિશીલ વહીવટકર્તાની ઊંચી છાપ તેમણે પાડી હતી.કુદરતી ઉપચારમાં ખાસ કરીને તેઓ શિવામ્બુના પ્રયોગકર્તા અને પ્રચારક હતા. તેઓ માત્ર રાજકારણી પુરુષ ન હતા,પરંતુ આધ્યાત્મિક વિચારધારાને વરેલા પુરુષ હતા.જીવનના છેલ્લા વર્ષ દરમિયાન ભારત રત્ન ના ઇલકાબથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.એ જ રીતે પાકિસ્તાને તેમને પોતાના દેશનો સર્વોચ્ચ ખિતાબ નિશાન એ પાકિસ્તાન અર્પણ કર્યો.પાકિસ્તાન તરફથી આવું બહુમાન પ્રાપ્ત કરનાર તે પ્રથમ ભારતીય છે.સમગ્ર રાષ્ટ્ર ગૌરવ લઇ શકે તેવું તેમનું ઉચ્ચ જીવન અને નિષ્કલંક કારકીર્દી છે.
ઇ.સ.1995 માં શતાયુના આરે પહોંચેલ આ સિતારો શૂન્યમાં ભળી ગયો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ