Follow US

Responsive Ad

રવિશંકર મહારાજ 25 ફેબ્રુઆરી


શ્રી એલ.વી.જોષી
ગુજરાતની ગ્રામીણ પ્રજાના ભેરુ,મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મ 25/2/1884 ના રોજ ખેડા જિલ્લાના રઢૂ ગામમાં થયો
deshgujarat.com
હતો.મહારાજ નાનપણથી જ નિર્ભય.ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું,લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા,બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારાજને માટે રમત વાત.તેમનું શાળાકીય ભણતર તો સાત ચોપડી જેટલું જ હતું પણ નાનપણથી જ તેમનામાં અન્યાયનો પ્રતિકાર કરવાની તેમજ સેવા કરવાની વૃતિઓ બીજરૂપે પડી હતી,જે સમય જતાં મોટા વટવૃક્ષરૂપે પાંગરી હતી.કુદરતી આફતો કે મહામારી વખતે લોકોની સેવા કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા હતા.કોમી હુલ્લડ વખતે હિન્દુ-મુસ્લિમ લતાઓમાં નિર્ભય થઇને ફરતા અને ભાઇચારો સ્થાપવાનો પ્રયાસ કરતા.ગુજરાતના અલગ રાજયની રચના થતાં ગુજરાત રાજાયનો શુભારંભ તેમના હસ્તે થયો હતો.શ્રમ,સાદાઇ અને સંયમ એ મહારાજના જીવનના મુખ્ય ત્રણ ગુણો હતા.તેઓ ચેતવણીરૂપે કહેતા હવેનો જમાનો પરિશ્રમનો આવે છે,પરિશ્રમ નહીં કરે તે ભૂખે મરશે. હરહંમેશ બીજાના ખપમાં પોતાનું જીવન સમર્પિત કરનાર પૂજ્ય રવિશંકર દાદાનું ઇ.સ.1984 માં શતાબ્દિ આયુષ્ય ભોગવીને નિધન થયું.જેમની સાથે ખોળિયું અદલબદલ કરવાનું ગાંધીજીને પણ મન થયેલું એવા સેવાના ભેખધારી રવિશંકર મહારાજનું સ્મરણ કરીએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ