Follow US

Responsive Ad

ડૉ.ભીમરાવ આંબેડકર 14 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
મૂલ્યનિષ્ઠ રાજપુરુષ અને બંધારણના ઘડાવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં 14/4/1891 ના રોજ થયો હતો. બી.એ.થયા પછી વડોદરા રાજયની આર્થિક સહાયથી અમેરિકા જઇ પીએચ.ડી.થયા અને તેમણે મુંબઇ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિષદોમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. પૂના કરાર મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી. કાયદાપ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહીં, પરંતુ સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢયું. ભારતના આ સપૂતે બંધારણના રૂપમાં દેશ અને દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે. એમના જીવનમાં ત્રણ આધારભૂત સિંદ્ધાંતો હતા. શિક્ષિત બનો, સંગઠીત બનો અને સંઘર્ષ કરો. તેઓ કહેતા : સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ પુસ્તકોએ મને હ્રદયમાં સ્થાન આપ્યું છે. ભારત સરકારે તેમને મરણોત્તર ભારતરત્ન ખિતાબ અર્પણ કર્યો હતો. ઇ.સ.1956 ના એક દિવસે પોતાના અંતિમ પુસ્તક ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ ની પ્રસ્તાવના લખીને સૂઇ ગયા અને ચિર નિદ્રામાંથી જાગ્યા જ નહીં. ડૉ.આંબેડકરનું કાર્ય અને વિચાર અન્યાય વિરુદ્ધ લડનારા સૌને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ