Follow US

Responsive Ad

તારાબહેન મોડક 19 એપ્રિલ

શ્રી એલ.વી.જોષી
ભૂલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી. રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા. તારાબહેને ગાંધીજીની પ્રેરણાથી કોસવાડમાં આદિવાસી બાળકો માટે પારણાઘર, બાલવાડી, પ્રાથમિક શાળા, રાત્રીશાળા એમ શિક્ષણ સંસ્થાઓની પરંપરા શરૂ કરીને કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો. તેઓ મોન્ટેસરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ પણ ગયા હતા. તેમણે બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત શિક્ષણ અંગેના પુસ્તકો પણ લખ્યાં છે. શિક્ષણક્ષેત્રે તેમણે આપેલી અનેકવિધ સેવાઓની કદરરૂપે ભારત સરકારે તેમણે પદ્મભૂષણ ખિતાબ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. બાળકોને સમજવાની અને તેમને પ્રેમથી વશ કરી લેવાની તેમનામાં જન્મજાત શક્તિ હતી. શિક્ષણ સંબંધી વિચારોને સાકારિત કરવા એ બધું જ કરી છૂટતાં. ગુજરાતમાં પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે એમણે એટલું બધું રચનાત્મક કામ કર્યું છે કે ઇ.સ.1973 માં 81 વર્ષની વયે મુંબઇમાં જયારે એમનું અવસાન થયું ત્યારે આ સન્નારીને કેળવણીકારોએ ગુજરાતના મોન્ટેસરી કહીને બિરદાવી આદરાંજલિ અર્પણ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ